Custom Search

Monday, August 31, 2009

ગણેશ.........


શ્રીજીનું સંકિર્તન વેદ અને ઉપનિષદોએ દિવ્ય ઋચાઓ રૂપે કર્યુ છે. શ્રીજીના સ્વરૂપની વિશેષતાને ઘ્યાનમાં રાખી તેમના હજારો નામો ભક્તોએ પાડ્યા છે. તેમાંના બાર નામો અત્યંત પ્રચલિત છે.આ નામ તેમના સ્વરૂપને અનુરૂપ છે.
ચંદ્રમાં સૌન્દર્યના સાગર જ્યારે પુનર્જિવીત કરવાનો સમય આવ્યો ત્યારે ચંદ્રમંડળમાં વિલિન થઇ ગયેલું તેજ ચંદ્ર-સૌન્દર્યથી સુંદર બનીને પાછુ- આવ્યું હતું તેથી સુમુખ થયા. ગૌરી અને શિવજી બંને તેજસ્વી- ગોરા તેથી પણ સુંદર એમના બાહ્યરૂપ કરતાં આંતરિક રૂપથી વધુ સુંદર હતા.
શૂર્પકર્ણ- શુભ સારું ગ્રહણ કરો, ખરાબ- અશુભ છોડી દો, ઝીણી આંખો: દૂર સુધીનું જુઓ દીઘર્દ્રષ્ટા બનવાનો સંકેત, લાંબી સૂઢ હાથીની જેમ પાણી ભરી જાતે જ પોતાને સાફ કરવું પોતાના દુર્ગુણો જોઇ દૂર કરી સદ્ગુણી બનવાનો સંકેત હાથીની જેમ પોતાને ગમતાને સૂંઢથી ઊંચકી પીઠ પર બેસાડવું. ગણેશજી ભક્તોનો ભાર પોતે ઉઠાવે છે. આમ પરકૃપાળુ પરમેશ્વર ગણેશજી ખરેખર જ આંતર અને બાહ્ય રીતે સુમુખ છે.

No comments: