1949માં કેટલાંક લોકોએ વિવાદીત પરિસરમાં ભગવાન રામની મૂર્તિ રાખી દીધી હતી અને પૂજાની મંજૂરી માગી હતી. પરંતુ વહીવટી તંત્રે તેની યથાસ્થિતિ જાળવી રાખી હતી. આ મામલામાં 16 જાન્યુઆરી, 1950ના રોજ 2 અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસ હિંદુ મહાસભા તરફથી ગોપાલ સિંહ વિશારદ અને દિગંબર અખાડા તરફથી પરમહંસ રામચંદ્રદાસે કર્યો હતો.
Tuesday, September 28, 2010
રામમંદિર વિવાદ : બાબરના સેનાપતિ મીર બાંકીએ હિંદુ મંદિર તોડીને તેના પર મસ્જિદનું નિર્માણ કર્યું હતું
અયોધ્યા વિવાદમાં પહેલો કેસ 1885માં દાખલ કરવામાં આવ્યો હતો. મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. તેમણે ફૈઝાબાદ કોર્ટમાં મંજૂરી માગી હતી કે તેમને વિવાદીત ઢાંચા પાસે ચબુતરો બનાવાની પરવાનગી આપવામાં આવે. તેમણે અહીં ચબુતરો બનાવીને ભગવાનની પ્રાર્થના કરવાની મંજૂરી માગી હતી. પરંતુ કોર્ટે તે સંદર્ભેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટનો તર્ક હતો કે 350 વર્ષ પહેલા (1528માં) આ વિવાદ થયો હતો અને તેમણે કેસ ઘણો મોડો કર્યો છે. મહત્વપૂર્ણ છે કે બાબરી મસ્જિદનું નિર્માણ મોગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બંકી દ્વારા 1528માં કરાયું હતું. હિંદુ ધર્માચાર્યોનો દાવો છે કે બાબરના સેનાપતિ મીર બાંકીએ હિંદુ મંદિર તોડીને તેના પર મસ્જિદનું નિર્માણ કર્યું હતું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment